A2Z सभी खबर सभी जिले कीUncategorized

રાજુલાની બાલકિષ્ના વિધાપીઠ ખાતે સાસંદ ખેલ સ્પર્ધા કાર્યક્રમ સમાપન થયો…

બાલકિષ્ના વિધાપીઠ ખાતે તારીખ ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી એમ પાંચ દિવસ માટે સાસંદ ખેલ સ્પર્ધા યોજાઇ હતી

રાજુલાની બાલકિષ્ના વિધાપીઠ ખાતે સાસંદ ખેલ સ્પર્ધા કાર્યક્રમ સમાપન થયો….

રાજુલા શહેરના હિંડોરણા રોડ પર આવેલ બાલકિષ્ના વિધાપીઠ ખાતે તારીખ ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી એમ પાંચ દિવસ માટે સાસંદ ખેલ સ્પર્ધા યોજાઇ હતી.જેમા રાજુલા તાલુકાની વિવિધ શાળાઓના અન્ડર ૧૯ અને ઓપન એઇઝના વિધાર્થી ભાઇઓ-બહેનોએ ભાગ લેવામા આવ્યો હતો. જેમા વિવિધ રમતોનુ આયોજન કરાયું હતું. આ સ્પર્ધામા વિધાર્થીઓએ પોતામા રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવી રમતો રજૂ કરી હતી. ખાસ આ આયોજન ભારત સરકારના રાજ્ય સભાના સાસંદ તેમજ કેન્દ્રીય મંત્રી અને પરશોતમ રૂપાલા દ્વારા સાસંદ ખેલ સ્પર્ધા ૨૦૨૩-૨૦૨૪ નુ સુંદર આયોજન કરવામા આવેલ છે. આ ખેલ સ્પર્ધા અંતર્ગત વિધાર્થીઓમા ખૂબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધામા વિજેતા થયેલા ભાઇઓ-બહેનોને ટીશર્ટ આપી પ્રોતસાહિત કરાયાં હતાં. અને તાલુકા કક્ષાનો સાસંદ ખેલ સ્પર્ધા સંપન્ન થયો હતો. આ તકે શાળાના સંસ્થાના ટ્રસ્ટી સાદુળભાઇ લાખણોત્રા, જયેશભાઇ રામ, રમેશભાઇ ડેરવાળીયા, આચાર્ય ચીરાગભાઇ વાવડીયા, ડો. પ્રશાંત ત્રિવેદી, તેમજ આરોગ્ય સ્ટાફગણ સહીત શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં…..

 

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!