
પ્રેસનોટ
બ્રહ્માકુમારીઝ ના આબુ શાંતિવન ખાતે રાજ યોગા શિબિર અને સકારાત્મક જીવન શૈલી માટે ૫૦૦૦ ગુજરાતીઓ આવ્યા.
મનોબળની વૃદ્ધિ શાંતિ અને સશક્ત જીવન માટે પાંચ વિવિધ શિબિરોમાં ૧૫૦૦૦ સીબીરાથીઁ દેશભરથી પહોંચ્યા.
ડીસા – ૨૦ – ૪ – ૨૦૨૪
વર્તમાન સમયે વિવિધ સમસ્યાઓથી માનવ મન ઘેરાયેલ છે અનેક વિવિધ સામાજિક માનસિક કારણો તેની નિર્ણય શક્તિ શાંતિ અને જીવનશૈલીને નકારાત્મક બનાવી રહેલ છે ત્યારે આજે સર્વ કોઈ ધર્મ આધ્યાત્મિકતા અને શ્રેષ્ઠ જીવન માટે પ્રેરણા આપનાર અધ્યાત્મ સંગઠનનો સહારો લઈ રહેલ છે ત્યારે આબુ ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ ના શાંતિવન ખાતે વિવિધ વર્ગોના શિબિરાર્થીઓ મોટી સંખ્યામાં આવેલ છે જેમાં ૫૦૦૦ ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર આબુ તળેટી સ્થિત શાંતિવન-આનંદસરોવર – માનસરોવર તથા મન મોહિની નગરમાં ભારત પરના વિવિધ રાજ્યોથી અધ્યાત્મ શિબિરાર્થીઓ આવેલ છે જેમાં ગુજરાતની સંખ્યા સૌથી વધુ છે સવારના ૪ વાગ્યાથી રાત્રી ૯ વાગ્યા સુધી વિવિધ રાજ યોગા ઈશ્વરીયા જ્ઞાન આત્મ પરિચય સકારાત્મક જીવન શૈલી અને સદભાવ સમારંભ તપસ્યામાં ખૂબ જ શિબિરાર્થીઓ પોતાના જીવનમાં સકારાત્મકતા મનની શક્તિ જીવન વ્યવહારમાં શુદ્ધતા પરસ્પર સ્નેહ ભાવ સાથે સનાતન ધર્મના સિદ્ધાંતો શીખી રહે છે જેમાં પ્રસિદ્ધ પ્રેરક વક્રતા બ્રહ્માકુમારી ઉષાબેન ગીતાબેન સુરજભાઈ જી અનુ ભવયુક્ત પ્રેરણા પૂરી પાડી રહેલ છે આગામી પાંચ માસ ચાલનાર આ શિબિરોમાં ભારે રસ લોકો બતાવી રહેલ છે