A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

નાચતા- નાચતા ઢળી પડ્યા અને મોત ને ભેટ્યા

પુત્રની પીઠી માં પિતાનું અવસાન

સુરતઃ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર ધુલિયા ના વતની અને હાલ ડીંડોલી નવાગામ માં આવેલ શ્રી હરિનગર માં કાંતિલાલ માલી ઉ. વ.56 જે પરિવાર સાથે રહેતા હતા. કાંતિલાલ ધાગા કટિંગ માં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હતા. કાંતિલાલ નાં બીજા નંબરના પુત્ર લખનની રવિવારે પીઠી ની વિધિ હતી. જેથી તે પ્રસંગમાં કાંતિલાલ પરિવાર સાથે નાચતા હતા. તે દરમિયાન નાચતા – નાચતા કાંતિલાલ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Show More

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!