

આજરોજ ટાઉનહોલ, મોતીબાગ ખાતે શ્રી ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટિસાઈડ્સ એસોસિએશન દ્વારા આયોજિત “સત્કાર સમારંભ” ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આત્મીય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું, તે બદલ એસોસિએશનના તમામ હોદ્દેદારો તથા સભ્યોનો તેઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખેડૂત કલ્યાણ માટે આપ સૌના અનુભવ, સૂચનો અને સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.
આદરણીય વડાપ્રધાન શ્રી ના માર્ગદર્શન હેઠળ માન. મુખ્યમંત્રી
ના નેતૃત્વમાં ખેડૂત હિતને કેન્દ્રમાં રાખી કૃષિ ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા હું સતત પ્રતિબદ્ધ રહીશ. મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ જણાવેલ
આ અવસરે ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં એસોસિએશન સાથે જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા