સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 4 મછી બજાર બી કે સ્ટુડિયો પાસે ગટરો અવાર નવાર ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જેમાં આ વિસ્તાર માં કાયમી ગટરો અવાર નવાર ઉભરાતા અહીંયાના સ્થાનિક રહીશો તથા આવતા જતા રાહદારીઓ ગંભીર બિમારી ના શિકાળ ભોગ બને તેવી સર્જાયેલ છે. અને સ્થિતિ જોવાય છે કે સંતરામપુર નગર પાલિકા ના ચીફ ઓફીસર તથા વહીવટદાર શ્રી દ્વારા નગરજનો નો તેમના હિત માટે થોડોક પણ ખ્યાલ ન રખાતો હોય તેમ સ્પષ્ટ જોવા મળે છે.
જેથી આ બાબતે આ સમસ્યા સંતરામપુર તાલુકા વહીવટદાર શ્રી તથા જિલા વહીવટદાર શ્રી તથા સરકાર નું ઉચ્ચ વહીવટી તંત્ર શ્રી તપાસ હાથ ઘરી જવાબદાર કર્મી ને અધિકારીઓ સામે તપાસ હાથ ઘરી કાયદેસરની કાનુની કાર્યવાહી મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ સમસ્યા તાત્કાલીક હલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
જુવો આગલા અંકમાં