
વલભીપુર બસસ્ટેશનની બાજુમાંથી નીકળતો હળિયાદ રોડ જે બીજા પણ ઘણા ગામોને જોડતો રસ્તો છે હાલ તે રસ્તો સાંકડો હોવાથી મોટી સંખ્યામાં પસાર થતા વાહનો અને લોકોને મુશ્કેલી પડે છે તેને ધ્યાનમાં લઈ જ્યાંથી રસ્તો નીકળે છે તે બસસ્ટેશનની દીવાલ જો થોડી અંદર લેવાય તો રસ્તો પહોળો થઈ શકે અને લોકોને મુશ્કેલી ના પડે આ અંગે લાગતા વળગતા વિભાગોને મનજીભાઈ સાગઠીયાએ રજૂઆતો કરેલ હોવાનું જાણવા મળેલ છે