Be safe!કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી), રાષ્ટ્રીય વાયરસ વિજ્ઞાન સંસ્થા (એનઆઈવી), કેન્દ્રિય ઔષધ માનક નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ)ની સંયુક્ત ટીમે મધ્યપ્રદેશમાં વિવિધ કફ સિરપના નમૂનાઓ લેવા માટે મુલાકાત લીધી. તપાસમાં કોઈ પણ નમૂનામાં ડાયેથિલિન ગ્લાયકોલ (ડીઈજી) અથવા એથિલિન ગ્લાયકોલ (ઈજી) મળ્યા નથી. મધ્યપ્રદેશ રાજ્ય ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એસએફડીએ) એ પણ ત્રણ નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને ડીઈજી/ઈજીની ગેરહાજરીની પુષ્ટિ કરી. મધ્યપ્રદેશ આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બે કફ સિરપ- કોલ્ડ્રિફ અને નેક્સા ડીએસને છિંદવાડા કલેક્ટરે પ્રતિબંધિત કર્યા છે, તેમની રિપોર્ટ એક-બે દિવસમાં આવી જશે.