
મહિધરપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ રેલ્વે સ્ટેશન પાર્સલ વિભાગ પાસે જે લાશ મળી આવી તે કિસ્સા મા પ્રેમિકાએ તેના પતિને પતાવી દિધો હતો. રાત્રી નાં અઢી વાગ્યા ની આસપાસ આ લાશ મળી આવી હતી. તેમાં એક રિક્ષા ચાલક ને માથામાં કુહાડી અને પત્થર નાં ઘા મારી ને હત્યા કરવામાં આવી હતી. પ્લાન પ્રમાણે રાત્રે શેરૂ સુમુલ ડેરી રોડ પર આવેલા રેલ્વે પાર્સલ ઓફીસે હતો ત્યારે મમતા અને રામુ બન્ને ત્યાં પહોંચી ગયા હતા અને પત્થર અને કુહાડી ના ઘા મારીને શરૂ ને મોતને ઘાટ ઉતારી દિધો હતો. ત્યારબાદ બન્ને ત્યાંથી નાસી છૂટયા હતા. જોકે, પોલીસ દ્વારા બન્ને ને ગણતરીના કલોકોમાં પકડી પાડવામાં આવ્યા હતા. હાલ બન્ને ની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલિસે હત્યારી પત્નિ અને તેનાં પ્રેમી ની ધરપકડ કરીને લોકઅપ માં નાંખી દીધાં હતાં. શરૂ ની પત્નિ મમતા નાં લફરાંની ખબર શેરૂં ને ખબર પડી ગઈ હતી. મમતાને ડર હતો. શેરું તેને મારી નાખશે તેથી આ લોકોએ તેની હત્યાનો પ્લાન બનાવી શેરુ ની હત્યા કરી નાખી હતી.