છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેના અનુસંધાનમાં બોડેલી એસડીએમ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

આજરોજ બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની મા દીકરીઓ વિશે આપતીજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના અનુસંધાનમાં બોડેલી એસડીએમ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય અંગ્રેજો સાથે રોટી બેટી નો વ્યવહાર કરેલો છે જે બિલકુલ ખોટું છે અસત્ય છે અને આપત્તિ જનક છે જેને લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે આ પુરુષોત્તમ રૂપાલા ના નિવેદનને છોટાઉદેપુર ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી નાખે છે સાથે સાથે ક્ષત્રિયસમાજની એક જ માંગ છે કે ભારતીય જનતા પાર્ટી એ પુરુષોત્તમ રૂપાલા ને રાજકોટ બેઠક પરથી જે ટિકિટ આપી છે એ ટિકિટ ને રદ કરવામાં આવે જો આ ક્ષત્રિય સમાજની માંગને સ્વીકારવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો પણ આ લોકસભા 2024 ની ચૂંટણીમાં વિરોધ કરશે અને આ વિરોધ ના પડઘા ગુજરાત લોકસભાની 26 26 બેઠક ઉપર જોવા મળશે રિપોટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Exit mobile version